Kalpsar Department

માનનીય મુખ્ય મંત્રીશ્રી

 

 શ્રી નરેન્દ્ર મોદી માનનીય મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય
 

 

માનનીય મંત્રીશ્રી


Hon'ble Minister Shri Nitinbhai Patel

નીતિનભાઇ પટેલ
જળ સંપતિ (કલ્પસર વિભાગ
સિવાય), પાણી પુરવઠા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,
ગુજરાતરાજ્ય
 

કલ્પસર પરિયોજના


ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્રના ઘોઘાથી ભરૂચ પાસેના દહેજની વચ્ચે બહુહેતુક કલ્પસર પરિયોજના

પૂર્વ ભૂમિકા :

નવિ સદીની ગુજરાતની બહુહેતુક કલ્પસર પરિયોજના.

[ Top ]

ગુજરાત રાજ્યના જળસંશોધન સ્ત્રોત:

ભારતના પશ્ચિમ ભાગે પાંચકરોડની વસ્તી ધરાવતું ગુજરાત રાજ્ય ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટર (૧૯૬ લાખ હેક્ટર) ભૌગોલીક વિસ્તાર અને ૧૨૩.૬ લાખ હેક્ટર ખેડાણલાયક વિસ્તાર ધરાવે છે. ચોમાસાની ઙ્ગતુના ત્રણ મહિના પૂરતો જ સીમિત રહેતો સરેરાશ વાર્ષિક વરસાદ ૭૬૦ મીલીમીટર જેટલો પડે છે, જે સ્થળ અને સમય પ્રમાણે મહદ વિષમતા ધરાવે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ૨૫૦૦ મીલીમીટર જેટલો વરસાદ પડે છે, જ્યારે કચ્છસૌરાષ્ટ્ર ધ્વિપકલ્પ સાથે રાજ્યનો ઉત્તર ભાગ ૩૦૦ થી ૪૫૦ મીલીમીટર જેટલો વરસાદ મેળવે છે. રાજ્યની નદીઓ નાની અને ખૂબ જ ઓછો તેમજ અનિયમિત પ્રવાહ ધરાવે છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડે છે. આથી ચોમાસાનું પાણી વર્ષના બાકી ૯ (નવ) મહીના માટે જળાશયોમાં સંગ્રહવું ખૂબ જ જરૂરી બને છે.

રાજ્યના મોટા ભાગનું ભૂગર્ભ જળ ખારાશવાળુ અને ફ્લોરાઇડ તથા નાઇટ્રેટ જેવા નુકશાનકારક તત્ત્વો વાળુ છે. ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં છેલ્લા ૩૪ દાયકામાં સંગ્રહાયેલું મર્યાદિત ભૂગર્ભ જળ ખૂબ જ મોટા પ્રમાણમાં ખેંચી કાઢવાથી તેના સ્તર ૩ મીટર પ્રતિવર્ષના દરે નીચા ઉતરતા જાય છે. તાજેતરમાં વર્ષ ૧૯૮૭ અને ૨૦૦૦ માં ગુજરાત ભયંકર દુષ્કાળનો સામનો કર્યો છે.

આ બધી વિષમ પરિસ્થિતીને પહોંચી વળવા જળસંચયની બહુવિધ લાભ આપતી યોજના કાર્યાન્વિત થવી જરૂરી બને છે.

[ Top ]

ઐતિહાસિક પૂર્વભૂમિકા :

સૌ પ્રથમ ૧૯૭૫માં યુ.એન.ડી.પી.ના નિષ્ણાંત શ્રી એસિક વિલ્સને ખંભાતના અખાતને ભરતીજન્ય વિજઉત્પાદન માટે શ્રેષ્ઠ સ્થળ હોવાનું જણાવેલ. ખંભાતના અખાત પર બંધ બાંધવા માટે વર્ષ ૧૯૮૮૮૯માં આવિક્ષણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. અહેવાલના તારણ અનુસાર સલામત પાયાની પરિસ્થિતિ ધારીને અખાત પર બંધ બાંધવો તાંત્રિક રીતે શક્ય જણાયેલ હતો.

[ Top ]

પૂર્વ શકયતાદર્શી અહેવાલ ની વિગતો :

રાજ્ય સરકારે ૧૯૯૮માં વિદેશી નિષ્ણાંત કંપની પાસે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરાવેલ. અભ્યાસનું તારણ હતું કે ભરતીજન્ય વિજઉત્પાદનના લાભ સાથે નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી નદીઓના વધારાના પાણીથી મીઠા પાણીનું જળાશય બનાવવું જોઇએ. જેનાથી સિંચાઈ, પાણી પુરવઠો અને જમીન નવસાધ્યકરણના લાભો મળશે. આમ ખંભાતના અખાતની વિકાસ યોજના તાંત્રિક અને સામાજિક આર્થિક દ્રષ્ટિએ શક્ય જણાય છે.

[ Top ]

કલ્પસર યોજનાનુંરૂપાંતરણ :

આ રીેતે શરૂઆતમાં જે યોજના ભરતીજન્ય વિજ યોજના તરીકેની હતી તે ભરતીજન્ય વિજ યોજના સાથે બહુહેતુક લાભો આપતી મીઠા પાણીના જળાશયની યોજનામાં પરિવર્તીત થઈ. આ યોજના ખંભાતના અખાતના બહુહેતુક વિકાસની પરિકલ્પના સાકાર કરે છે. ખંભાતના અખાતમાં ભાવનગર જિલ્લાના ધોધા અને ભરૂચ જિલ્લાના હાંસોટ ને જોડતો બંધ બાંધવાનું આયોજન છે. નિર્માણ પામનાર જળાશય બે ભાગમાં વહેંચાશે.

(અ) ભરતીજન્ય સરોવર (બ) મીઠાપાણીનું સરોવર, તેનાથી ભરતીજન્ય વિજ ઉત્પાદન અને વિપુલ પ્રમાણમાં મીઠા પાણીના જથ્થાના લાભો મળશે. આ અધ્વિતીય પરિકલ્પના આ વિશાળકાય યોજનાને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. યોજનાનું સ્વરૂપ અને કદ જોતાં કદાચ વિશ્વમાં આ પ્રકારની અજોડ યોજના હશે.

[ Top ]

છ વિશિષ્ટ અભ્યાસો :

પૂર્વ શક્યતાદર્શી અહેવાલની સમીક્ષા કર્યા બાદ ગુજરાત સરકારે પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ બનાવવા અંગે કોઇ નિર્ણય લેતાં પહેલાં વચગાળાના છ વિશિષ્ટ અભ્યાસો કરવાનું નક્કી કયુઁ.

પર્યાવરણીય અસરો અને તાંત્રિક આર્થિક શક્યતાઓના સાપેક્ષમાં આ અભ્યાસો નીચે મુજબ છે.

  • કલ્પસર યોજનાના મીઠા પાણી ઉપર પ્રદુષણની આડઅસરનો અભ્યાસ

  • નદીઓના મુખ, સરોવર તથા ખંભાતના અખાતના કાંઠા વિસ્તારમાં થનાર ભૌગોલિક ફેરફારોને લગતો અભ્યાસ

  • કલ્પસર યોજનાની આસપાસના નીચાણવાળા વિસ્તારમાંથી થનાર પાણીના નિકાલ તેમજ સરોવર તથા આસપાસના વિસ્તારના ક્ષાર સંતુલન અંગેનો અભ્યાસ

  • ભરતીજન્ય વિજઉત્પાદનની આર્થિક સક્ષમતા અને પશ્ચિમગ્રીડમાં વહેવડાવવાની શક્યતા અંગેનો અભ્યાસ

  • ગુજરાત રાજ્યની સમગ્ર પાણીની ઉપલબ્ધતા તથા વ્યવસ્થાનું કલ્પસર યોજના સાથે એકીકરણનો અભ્યાસ

  • આર્થિક અને નાણાંકીય મુલ્યાંકન

[ Top ]

યોજનાનું કદ અને સ્વરૂપ :

પૂર્વ શક્યતાદર્શી અહેવાલ અને છ વિશિષ્ટ અભ્યાસોના તારણોનુસાર જણાય છે કે યોજના તાંત્રિક અને આર્થિક રીતે સક્ષમ છે અને વિસ્તૃત શક્યાતદર્શી અભ્યાસો હાથ ધરવાની કાર્યવાહી કરવી જોઇએ. યોજનાનું આયોજન આલેખન તથા મળનાર વિપુલ લાભોને જોતાં યોજના ખરા અર્થમાં વિશાળકાય બહુહેતુક યોજના બની રહી છે.

[ Top ]

અંદાજીત ખર્ચ :

વર્ષ૧૯૯૯ના ભાવ પ્રમાણે સિંગલ ભરતીજન્ય વિકલ્પમાં યોજનાની કિંમત રૂા.૫૪,૦૦૦/ કરોડ અને ડબલ ભરતીજન્ય વિકલ્પમાં ૪૭,૮૦૦/ કરોડ થાય છે. કલ્પસર બંધ અને ભરતીજન્ય વિજના કામોની અંદાજીત કિંમત વર્ષ૧૯૯૯ના ભાવ પ્રમાણે સિંગલ બેઝીન અને ડબલ બેઝીનમાં અનુક્રમે રૂા.૪૪,૩૦૧/ કરોડ અને રૂા.૩૮,૧૨૪/ કરોડ થાય છે.

[ Top ]

વર્તમાન સ્થિતિ :

હવે યોજનાને સૈકાનો બીજો દાયકો પૂરા થતાં સુધીમાં પૂર્ણ કરવા માટેના આયોજનમાં ઉચ્ચ આંતરરાષ્ટ્રીય ધારાધારણોને અનુરૂપ આધુનિક તકનીકનો ઉપયોગ કરીને વિસ્તૃત શક્યતાદર્શી અહેવાલ હવેના ૩૪ વર્ષોમાં પૂર્ણ કરવો જરૂરી જણાય છે. જેમાં વિવિધ અભ્યાસો અને વિસ્તૃત સંશોધનો સહિતના બેન્કેબલ અહેવાલનો સમાવેશ થાય છે. સદર બાબતોમાં ભૂતાંત્રિક આકારણી અને અન્વેષણ,સરોવરના કાંઠાના વિસ્તારનું જમીનસર્વેક્ષણ, બેથેમેટ્રીક સર્વેક્ષણ, સામુદ્રીક સર્વેક્ષણ અને દરિયાના મોજાની આલેખિત ઉંચાઇની સમીક્ષા, ભરતીના પાણીમાં કાંપની હાજરી અને અરબી સમુદ્રની ભરતીના વિસ્તૃત ડેટાનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે ઝડપથી વિસ્તૃત શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટેનો સમયબધ્ધ કાર્યક્રમ નક્કી કર્યો છે. સર્વે અભ્યાસો રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોની મદદથી હાથ પર લેવાના છે.

કલ્પસર યોજનાની વિગતવાર માહિતી જોવા માટે અહિ ક્લીક કરો

[ Top ]

©2002 Narmada All rights reserved

Site Developed & Maintained by Cybersurf (india) Pvt. Ltd