Water Supply Department
    Chief Minister : Shri Narendra Modi માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રી નરેન્દ્ર મોદી


 
    Minister (Cabinet) : Shri Nitinbhai Patel માનનીય મંત્રીશ્રી
શ્રી નીતિનભાઇ પટેલ

સંદેશ
    Minister (State) : Shri Parbatbhai Patel

માનનીય રા.ક. મંત્રીશ્રી
શ્રીપરબતભાઇ પટેલ

સંદેશ

    Principal Secretary

અગ્ર સચિવશ્રી
શ્રી એચ.કે.દાસ,(આઇ.એ.એસ.)

 

 
પાણી પુરવઠા વિભાગ
પ્રસ્તાવના :

રાજયમાં પીવાનું પાણી પુરૂ પાડવાની કામગીરીઃ
  • પીવાનું પાણી એ જીવનની પ્રાથમિક જરૂરીયાત છે. જીવનની લગભગ દરેક પ્રવૃતિઓ સાથે પાણી સંકળાયેલું છે તેથી પાણીની ઉપલબ્ધી એ સવિશેષ ધ્યાન ખેંચે છે. પીવા માટે સ્વચ્છ, પીવાલાયક અને પૂરતું પાણી જરૂરી છે. રાજય સરકાર આ બાબતે સંનિષ્ઠ પ્રયત્નો કરે છે અને રાજયના દરેકે દરેક ગામને પીવાનું પાણી ઉપલબ્ધ કરવાનું લક્ષ્યાંક સિધ્ધ કરશે. સરકાર પાણીની યોજનાઓ ફકત તૈયાર કરવા પૂરતું જ ધ્યાન આપવા નથી માંગતી, પરંતુ જે યોજનાઓ તૈયાર થઇ ગઇ છે તે નિયમિત રીતે ચાલે અને લોકોને નિયત થયેલ ધોરણોનું શુધ્ધ અને ગુણવત્તાવાળું પાણી મળે રહે તે અંગે પણ સજાગ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ આ સેવાને સમર્પિત બોર્ડ છે.

  • આમ તો પાણીએ જીવનનું અમૃત કહેવાય છે, પરંતુ જો તેની પૂરતી સાચવણી ન થાય તો તે રોગનું ઘર પણ બની શકે છે. પાણી પ્રદુષિત થવાનાં ઘણાં કારણો હોઇ શકે અને તે માટે લોકો જાણે અજાણે જવાબદાર હોય છે. ઉપરાંત દુષ્કાળના વર્ષોમાં પાણીની કારમી અછત વરતાય છે. આથી તેનો કરકસરયુકત ઉપયોગ અને સમજણ કેળવાય તથા તેનું મુલ્ય સમજાય તેવા પ્રયત્નો કરવા ખાસ જરૂરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા અંગેનો કાર્યક્રમઃ

  • ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના સાધનો ઉભા કરવા માટે બોર્ડ દ્વારા મુખ્યત્વે નીચે દર્શાવેલ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
  • ન્યૂનતમ જરૂરીયાત કાર્યક્રમ.
  • આદિજાતિ વિસ્તારો માટે ન્યુનત્તમ જરૂરીયાત કાર્યક્રમ હેઠળ અલગ નાણાં અંકિત.
  • અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ ન્યુનત્તમ જરૂરીયાત કાર્યક્રમમાં પીવાના પાણીની સગવડ ઉભી કરવા માટે અલગ નાણાં અંકિત
 
 
   
 
 
 

©2002 Narmada All rights reserved

Site Developed & Maintained by Cybersurf (india) Pvt. Ltd