કચ્છ
માલીયા અને લખપત વચ્ચે ની દરીયાઇ પટ્ટિ, લગભગ 360 કિ.મી. રેખીય અંતર આવરી લે છે. આ દરીયાઇ કિનારામા ભૂગર્ભજળ ખારાશ એક ગંભીર પરિસ્થિતિ છે.
માલીયા થી લખપત સુધીનો કુલ ૩૭૧૨ ચો.કિ.મી ભૌગોલિક વિસ્તાર છે કે જેમા. કચ્છ જિલ્લામાં ૭ તાલુકાઓના ૨૪૫ ગામો નો સમાવેશ થાયછે. આ ૨૪૫ ગામો પૈકી લગભગ તમામ ગામો ખારાશ અસરગ્રસ્ત છે.
કચ્છ જિલ્લામા ક્ષારતત્વ પ્રવેશ સમસ્યા ઉકેલવા માટે. ગુજરાત સરકારે ૧૯૭૮ માં શ્રી શિવરાજ ની અધ્યક્ષતા હેઠળ એક હાઈ લેવલ કમિટીની નિયુક્ત કરી.
આ હાઈ લેવલ કમિટીએ માલીયા - લખપત વિસ્તાર ની મુલાકાત લીધી હતી. આ સમસ્યા ના અસરકારક ઉકેલ માટે નીચેના પગલાં લેવા માટે સૂચન કરેલ છે.
૧ : વ્યવસ્થાપન પઘ્ઘતિ :
૧. પાક પદ્ધતિ માં પરિવર્તન:
૨. ભૂગર્ભ જળ નિષ્કર્ષણ
૩. નિયમન
૨ : રિચાર્જ પઘ્ઘતિ :
૧. ચેકડેમ
૨. રિચાર્જ ટેંક
૩. રિચાર્જ કુવા
૪. વિસ્ત્રણ નહેર
૫. વનીકરણ
૬. નાળા પ્લગ
૩ : ક્ષાર નિયંત્રણ પઘ્ઘતિ :
૧. ભરતી નિયંત્રક
૨. બંધારા
૩. સોલ્ટ પેન થી રક્ષણ,
૪. દરિયાઇ બંધ
૫. દરિયાઇ જમીન સુધારણા
૬. ગાળણ દ્વારા દરિયાઇ ક્ષાર સુધારણા
હાઈ લેવલ કમિટી-II ધ્વારા ભરતી નિયંત્રક-૧૫, બંધારા-૪૦, ચેક ડેમ-૭૪૦, રીચાર્જ ટેન્ક-૨૫, વેલ રીચાર્જ-૧૫૦, સ્પ્રેડીંગ કેનાલ-૧૬૬ કિ.મી., નાળા પ્લગ-૨૦૦૦ અને, દરિયાઇ જમીન સુધારણા-૧૦૦૦૦ હેક્ટરના કામો માટે અંદાજીત રૂ. ૧૮૬ કરોડનુ સુચન કરેલ.
|