સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના |
|
ગુજરાત સરકારે રાજ્યના દરીયા કિનારાના વિસ્તારોમાં આવેલ તાલુકાઓના વિકાસ માટે રાજ્યના ૧૩ જિલ્લાઓના કુલ ૩૮ તાલુકાઓમાં સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના સને ૨૦૦૭-૦૮થી અમલમાં મૂકી છે.
જળસંપતિ પ્રભાગ દ્વારા આ યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે. |
- બંધારા
- ભરતી નિયત્રંક
- રીચાર્જ તળાવો
- સ્પ્રેડીંગ ચેનલ
- દરીયાઈ ધોવાણ અટકાવતી યોજના
- સિંચાઈ યોજનાઓ
- ચેકડેમ તથા તળવો ઊંડા કરવાની કામગીરી
|
આ યોજના હેઠળ કરવામાં આવનાર કામોથી દરીયા કિનારાના વિસ્તારોમાં નીચે મુજબના ફાયદાઓ મળશે. |
- સિંચાઈનો લાભ વધશે.
- ક્ષાર આગળ વધતો અને ફળદ્રુપ જમીન બંજર થતી અટકશે.
- દરીયા નજીક પિવાના પાણીનો સંગ્રહ થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થશે.
- દરીયા કિનારાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર અટકશે.
|
|
સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના હેઠળ આવરી લેવાયેલ તાલુકાઓ તથા જિલ્લાઓની યાદી નીચે મુજબ છે |
|
અનું.નં. |
જિલ્લો |
તાલુકાનું નામ |
૧. |
કચ્છ |
૧. લખપત ૨. અબડાસા ૩. ભચાઊ ૪. અંજાર ૫. મુંદ્રા ૬. માંડવી ૭. ગાંધીધામ |
૨. |
અમદાવાદ |
૧.ધંધુકા |
૩. |
જામનગર |
૧.કલ્યાણપુર ૨.ઓખા મંડળ ૩.ખંભાળીયા ૪.જોડીયા ૫.જામનગર |
૪. |
પોરબંદર |
૧.પોરબંદર |
૫. |
જુનાગઢ |
૧.ઉના ૨.સુત્રાપાડા ૩.માંગરોળ ૪.માળીયા(હા) ૫.કોડીનાર ૬.પાટણ-વેરાવળ |
૬. |
અમરેલી |
૧.જાફરાબાદ ૨.રાજુલા |
૭. |
ભાવનગર |
૧.તળાજા ૨.ઘોઘા ૩.મહુવા |
૮. |
આણંદ |
૧.ખંભાત |
૯. |
ભરૂચ |
૧.વાગરા ૨.જંબૂસર ૩.હાંસોટ |
૧૦. |
સુરત |
૧.ચોર્યાસી ૨.ઓલપાડ |
૧૧. |
નવસારી |
૧.જલાલપોર ૨.ગણદેવી |
૧૨. |
વલસાડ |
૧.ઊમરગામ ૨.પારડી(ગ્રામ્ય) ૩.વલસાડ |
૧૩. |
રાજકોટ |
૧.માળીયા(મીયાણાં) |
|
|
સાગરખેડૂ યોજના અંતર્ગત પુર્ણ થયેલા / પ્રગતિ હેઠળના કામોની વિગતો દર્શાવતું પત્રક જોવા માટે અહીં ક્લિક કરો.(પ્રગતિ હેવાલ ડીસેમ્બર ૨૦૧૪ અંતિત) |