સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર દ્વારા ઉદ્ વહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે.
ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ઢોર – ઢાંખર માટે ઘાસચારાની પરિસ્થિતિ પણ ઘણી વિકટ જોવા મળે છે. ઉપરોકત સમગ્ર બાબતોને ધ્યાને લઇ, ભવિષ્યમાં પાણીની અછતની ઉભી થનાર સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા, ગંભીરતાથી વિચારવા ગુજરાત સરકારે અસરકારક પગલાં લેવા માટે કટીબદ્ધ બની છે. જે બાબતના ભાગરૂપે જળસંપત્તિ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ સરકારી મકાનો, કોલોનીઓ, ગોડાઉનો, વિશ્રામગૃહો તેમજ અન્ય સરકારી મકાનો કે જ્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તેમ હોય તેવા મકાનોમાં આ યોજનાનું અમલીકરણ કરી, વધુમાં વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય તે રીતે આયોજન કરી અમકલીકરણ કરવાનું નક્કી કરેલ છે.
ઉપરોકત આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ હસ્તકના સરકારી મકાનોના છતનો કુલ વિસ્તાર ભેગો કરવામાં આવેલ. તે મુજબ કુલ ૩,૬૬,૨૦૪ ચો.મી. વિસ્તારનું પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાની યોજનાના કુલ ખર્ચ રૂ. ૨,૭૩,૩૧,૮૭૦-૦૦ ની નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા સમગ્ર વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. અને તે મુજબ સૂચવેલ અંદાજીત વિસ્તારમાં સદર યોજનાના કામનું આયોજન કરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષમાં ૨૪૧૦૩ ચો.મી. માં કામગીરી કરવામાં આવેલ. બાકી રહેતો ૩,૪૩,૦૯૧ ચો.મી. સને ૨૦૦૯-૧૦ ના વર્ષમાં આયોજન કરેલ છે. જે કામગીરી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે.
|